@મોહસીન દાલ,ગોધરા
ગોધરા શહેરને અડીને આવેલા લીલેસરા ગામના મેઘવાડ ફળીયા માંથી ગત બુધવારના રોજ લાપતા થયેલા કાકા ભત્રીજાના મૃતદેહો એક ખેતરના કુવા માંથી આજ સવારમાં મળી આવતા તરેહ તરેહની ચર્ચાઓની ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. જો કે આ ઘટનાની ખબરો સાથે ગોધરા બી ડીવીઝનના દોડી આવેલા પોલીસ તંત્રના કાફલાએ કાકા ભત્રીજા ધનાભાઈ પૂજાભાઈ મેઘવાડ (ઉ.વ.૩૭) અને મનોજ ગોવિંદભાઈ મેઘવાડ (ઉ.વ.૨૮)ના મૃતદેહો કુવાના પાણી માંથી બહાર કાઢીને કાયદેસર તપાસો હાથ ધરી છે.
શહેરને અડીને આવેલા લીલેસરા ગામના મેઘવાડ ફળીયામાં રહેતા કાકા ભત્રીજા ધનાભાઈ મેઘવાડ અને મનોજ મેઘવાડ ઘરે નહિ આવતા ગત બુધવારના રોજથી આ બન્ને ને શોધવા માટે સ્વજનો દોડાદોડ કરતા હતા આજ સવારે ઈસ્માઈલના ખેતરના કૂવામાં બે ઈસમોના મૃતદેહ દેખાતા હાથ ધરાયેલા ઓપરેશનમાં આ બન્ને મૃતદેહો બહાર કાઢવામાં આ બન્ને કાકા ભત્રીજાની ઓળખ કરાઈ હતી. આ ચોંકાવનારા બનાવની ચર્ચાઓ એવી છે કે કોઈકના ખેતરની ફરતે વહેતા કરાયેલા વિજ કરંટની અડફેટમાં આવી ગયેલા આ કાકા ભત્રીજા વિજ કરંટથી મૃત્યુ પામ્યા હશે.અને આ ઘટનાથી ગભરાઈ ગયેલા અજાણ્યા ચહેરા દ્વારા કાકા ભત્રીજાના મૃતદેહોને કુવામાં ફેંકી દીધા હોવા જોઈએની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.