Author: 1nonlynews
ઝાંસી મેડિકલ કોલેજના ચિલ્ડ્રન્સ વોર્ડમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 બાળકોના મૃત્યુ થયા હતા અને 16 ઘાયલ થયા હતા. મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં શુક્રવારે રાત્રે લગભગ 10.45 વાગ્યે આગ લાગી હતી. ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે આ આ દુર્ઘટના બની હોવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ અવિનાશ કુમારે જણાવ્યું હતું. યુપીમાં ઝાંસી મેડિકલ કોલેજ હોસ્પિટલના NICU વોર્ડમાં આગની ઘટના બાદ હોસ્પિટલની બહાર હ્રદયદ્રાવક માહોલ જોવા મળ્યો હતો. પોતાના લડકવાયા જેને માં ભરી નિહાળી પણ નથી શક્યા કે ખોળામાં રમાડી પણ નથી શક્ય તેવા બાળકોની લાશો જોઈ હ્રદય ચિત્કારી ઉઠ્યું હતું. હોસ્પિટલ બહાર ભીડ એકઠી થઈ ગઈ છે. ચારે…
હિંમતનગરના પોશીના તાલુકાના ગણવા ગામે પિતાએ 3 માસૂમ બાળકોને ઝેરી દવા પીવડાવ્યા પછી પોતે દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તાલુકાના ગણવા ગામે મુકેશ નાનજીભાઈ ધ્રાંગીએ તેમના 3 બાળકોને ઝેરી દવા પીવડાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાળકો સહિત પિતા ઝેરી દવા પીવાના કારણે તરફડીયાં ખાવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોને જાણ થતાં તાબડતોડ ધ્રાંગી પરિવારના 4 સભ્યોને લાંબડીયાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તાત્કાલિક સારવાર આપી બચાવી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાહીલ ધ્રાંગીની તબિયત વધુ લથડતાં તેને ખેડબ્રહ્મા રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું…
કાનપુરઃ પ્રયાગરાજથી ભિવાની વાયા કાનપુર જતી ટ્રેન કાલિંદી એક્સપ્રેસ (14117)ને એલપીજી સિલિન્ડરથી ઉડાવી દેવાનો મામલો સામે આવ્યો છે. આ ટ્રેન રવિવારે મોડી સાંજે ટ્રેક પર રાખવામાં આવેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી. આ દરમિયાન જોરદાર અવાજ પણ થયો. સારી વાત એ છે કે ટ્રેનમાં હાજર મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. શું છે સમગ્ર મામલો? કાનપુરના અનવરગંજ-કાસગંજ રેલવે રૂટ પર મોડી સાંજે ભિવાની જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસ પાટા પર રાખવામાં આવેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી. ટ્રેનની સ્પીડ વધુ હતી, જેના કારણે ટ્રેન રોકતી વખતે તે સિલિન્ડર સાથે અથડાઈ હતી. એણે જોરથી અવાજ પણ કર્યો. આ ટ્રેન પ્રયાગરાજથી કાનપુર સેન્ટ્રલ થઈને ભિવાની જઈ…
નરેન્દ્ર મોદીના નેતૃત્તવાળી કેન્દ્રની સરકાર દેશના વિકાસ અને અર્થવ્યવસ્થાને વધારે મજબૂત બનાવવા માટે કટિબદ્ધ છે. આ વખતનું કેન્દ્રિય બજેટ વાસ્તવિક અર્થવ્યવસ્થા માટે સકારાત્મક છે, કેમ કે આ ગ્રામીણ ક્ષેત્ર, કૃષિ વિકાસ, રોજગાર સર્જન, રોજગાર માટે તૈયાર યુવાઓના કૌશલ્ય વિકાસ અને અર્થવ્યવસ્થાની ઉત્પાદક ક્ષમતા વધારવા માટે પાયાના પ્રાથમિક માળખાઓ પર કેન્દ્રિત છે. સૌથી સારી વાત તે છે કે, આ બધી મોટી પહેલ રાજકોષીય નુકશાનને જીડીપીના 4.9 ટકા સુધી લાવવા સહિત આ વર્ષે સરકાર દ્વારા લેવામાં આવેલા ઉધારને ઓછું કરવા દરમિયાન માર્કેટ માટે મોટા પગલાઓ ભરવામાં આવ્યા છે. જે એક સારી બાબત છે. કેમ કે ઉધાર ઓછું કરવાની સાથે-સાથે નરેન્દ્ર મોદી સરકારે…
લખનૌના ચિનહાટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા પર હુમલો કરવામાં આવ્યો છે અને સાકિબ અને અન્ય 8-10 અજાણ્યા યુવકોને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા પર હુમલો લખનઉઃ યુપીના લખનઉથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચિન્હાટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા પર હુમલો થયો છે. કેટલાક યુવકોએ સંઘની શાળા પર પથ્થરમારો કર્યો છે. બ્રાંચ ડાયરેક્ટર યુવરાજ પ્રજાપતિએ સાકિબ અને વિસ્તારના 8-10 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. ઘટના ક્યારે બની? આ ઘટના 27 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યે બની હતી. યુવરાજ પ્રજાપતિ ચિન્હાટ વિસ્તારના છોહરિયા માતા…
રાંચી: ઝારખંડના ચક્રધરપુરમાં આજે સવારે એક દર્દનાક ટ્રેન અકસ્માતના(train accident ) સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે સર્વત્ર હોબાળો મચી ગયો છે. અકસ્માત બાદનો વીડિયો(Video after the accident) પણ સામે આવ્યો છે. વીડિયોમાં દુર્ઘટના બાદ ટ્રેનની બોગી એક બીજાની ઉપર ચડતી જોવા મળે છે. બોગી પાટા પરથી ઉતરી જવાને કારણે તેમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં 150થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઘણા મુસાફરો પણ સ્થળ પર મદદ માટે આજીજી કરતા જોવા મળ્યા હતા. હાલ NDRF સહિત અન્ય બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી…
Gujarat Rain Update: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ આજે મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ મંડાણ કર્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.50 ઈંચ, મહેસાણાના વિસનગરમાં બે કલાકમાં 4 ઈંચ સહિત કુલ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સોમવારે (29મી જુલાઈ) રાજ્યના 204 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 100 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ હતો. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ( 30મી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં સિઝનનો…
Kerala Landslide: દેશમાં હાલ અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેરળમાંથી(Kerala) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભીષણ ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં પાંચ લોકોના મોતના અહેવાલ છે જ્યારે 100થી વધુ લોકો દટાયાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભૂસ્ખલન થતાં 100થી વધુ લોકો દટાયાની આશંકા કેરળમાં અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આજે (30 જુલાઈ) વહેલી સવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જાનમાલનું મોટું નુકસાન થવાની આશંકા છે.…
આજ રોજ દેશ પાદરા વિભાગ ની જનરલ સભા ઇડર મુકામે યોગેશ ભાઈ કે પટેલ પ્રમુખ અધ્યક્ષ સ્થાને યોજવા માં આવેલ જેમાં દેશ વિભાગ ના પ્રમુખ રોહિતભાઈ પટેલ પાદરા વિભાગ ના પ્રમુખ એન કે પટેલ તથા માજી પ્રમુખ પંકજભાઈ પટેલ જયંતિભાઈ પટેલ હિતેન્દ્ર ભાઇ પટેલ જયંતિભાઈ પટેલ તથા સમાજ નાં અગ્રણી ઓ હાજર રહેલ જેમાં દેશ પાદરા વિભાગ ના પ્રમુખ તરીકે સતિષભાઈ કે પટેલ ઇડર તથા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પી પટેલ તેમજ મંત્રી તરીકે વસંતભાઈ પટેલ તેમજ સહ મંત્રી તરીકે પલક પટેલ તથા આંતરિક ઓડિટર તરીકે કેતનભાઇ પટેલ ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ વધુ માં સમાજ ના ઉત્થાન માટે સમાજ ના…
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી આખરે સત્તાવાર રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવા જઇ રહ્યા છે. પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાની પેટા ચૂંટણી લડશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતની લોકસભાની ચૂંટણી રાયબરેલી અને વાયનાડ એમ બન્ને બેઠકો પરથી જંગી લીડથી જીત્યા હતા. નિયમ મુજબ રાહુલે એક બેઠક ખાલી કરવાની હોય છે. તેથી તેમણે વાયનાડની બેઠક જતી કરી છે. તેથી આ બેઠક પર ટૂંક સમયમાં પેટા ચૂંટણી યોજાશે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને આ બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવ્યા હતા વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સમયે પ્રિયંકા…