- શાળા માં વહીવટી કાર્ય કરી શકાય તે માટે શિક્ષક મિત્રો ને હાજર રહેવા જણાવાયુ
@સુલેમાન ખત્રી, છોટાઉદેપુર
Biparjoy cyclone: હાલમાં અરબ સાગરમાં ચક્રવાતી બિપોરજોય વાવાઝોડું ઉદભવેલ છે. જે આગામી સમય દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના લીધે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ સાથે પવન ફુંકાવાની પ્રબળ શક્યતા હોવાના કારણે તકેદારીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ તમામ તાલુકાઓમાં આવેલ
આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ તથા કોલેજોમાં
શૈક્ષણિક કાર્ય તા.૧૬/૦૬/૨૦૨૩ ના રોજ બંધ રાખવા જણાવ્યું છે જેથી ભારે વરસાદ અને ચક્રવાતથી જાનમાલને નુકશાન થતું અટકાવવા માટે અગમચેતીના પગલાં લેવા છોટાઉદેપુર જીલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે હુકમ કર્યો છે.
ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ મુજબ હુકમ કરવામા આવ્યો જેની અમલવારી કરવા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં તા.૧૬/૦૬/૨૦૨૩ ના રોજ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનું રહેશે એક પણ વિધ્યાર્થીઓ ને શાળા એ બોલાવવા નહી અને શિક્ષક મિત્રો એ શાળા માં વહીવટી કાર્ય કરી શકાય તે માટે હાજર રહેવા જણાવાયુ
હુકમનો ભંગ કરનારને ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૫, ૫૬ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે તેમ જીલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ છે
શું રોહિત શર્માની જગ્યાએ બીજાને કેપ્ટ્ન બનાવવાથી સમીકરણો બદલાઈ જશે..?
આધુનિક ટ્રેન નહીં પરંતુ સલામત મુસાફરીની જરૂર …
અહીં ધાર્મિક વિધિના નામ પર યુવતીઓ અને મહિલાઓ સાથે થાય છે બળજબરી સેક્સ, જાણો કોણ છે હાયના
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?