Euthanasia: ઈચ્છામૃત્યુને લઈને અનેકવાર ચર્ચાઓ થઇ ચુકી છે. જિંદગી ભગવાન ની અમૂલ્ય દેણ છે. ત્યારે એને આવી રીતે નષ્ટ કરવી કેટલી યોગ્ય? પરંતુ હવે પોર્ટુગલમાં ઈચ્છામૃત્યુને મંજૂરી આપવામાં આવી છે. પોર્ટુગલના આ નિર્ણયથી દુનિયાના ઘણા દેશોમાં હોબાળો મચી ગયો છે.
જ્યારે પણ જે પણ દેશમાં લોકોએ આ અંગે સરકારને વિનંતી કરી છે, ત્યાં હોબાળો જ થયો છે. ઘણા દેશોમાં આ અંગે ચર્ચા થઈ છે. જ્યાં એક પક્ષ તેને યોગ્ય ઠેરવે છે ત્યાં બીજી બાજુ તેનો વિરોધ કરે છે. તે વિશ્વના દરેક ખંડમાં ઈચ્છામૃત્યુ વિવાદનો વિષય રહ્યો છે. જોકે કેટલાક દેશોએ ઈચ્છામૃત્યુને(Euthanasia) ચોક્કસપણે માન્યતા આપી છે, પરંતુ તેમાં વધુ એક નામ ઉમેરાયું છે. આ દેશ યુરોપિયન દેશ પોર્ટુગલ છે. આ ઈચ્છામૃત્યુ બિલ પર ત્રણ વર્ષમાં ચાર વખત સહમતી થઈ હતી. પરંતુ આ દેશના રાષ્ટ્રપતિએ દરેક વખતે તેનો વિરોધ કર્યો. જોકે હવે તેને માન્યતા મળી ગઈ છે.
પોર્ટુગલની સંસદે ઈચ્છામૃત્યુને(Euthanasia) કાનૂની માન્યતા આપી છે. અહીં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો ઈચ્છામૃત્યુ માટે અરજી કરી શકે છે. પરંતુ તેમને કેટલાક જરૂરી નિયમો અને શરતો પૂરી કરવી પડશે. ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, પોર્ટુગલમાં ઈચ્છામૃત્યુને લઈને લાંબી લડાઈ ચાલી રહી છે, જે બાદ હવે આ દેશની સંસદે ઈચ્છામૃત્યુને કાયદાકીય માન્યતા આપી દીધી છે.
પોર્ટુગલમાં ઈચ્છામૃત્યુ માટે કયા નિયમો અને શરતો જરૂરી છે?
દરેક વ્યક્તિ ઈચ્છામૃત્યુની(Euthanasia) કાનૂની માન્યતાનો દુરુપયોગ કરી શકતી નથી. જે લોકો અસહ્ય પીડા કે વેદનાથી પીડાતા હોય તેઓ જ ઈચ્છામૃત્યુ માટે લાયક રહે છે. અથવા કોઈ એવી બીમારીથી પીડિત છે જે અસાધ્ય છે. રૂઢિચુસ્ત પ્રમુખ માર્સેલો રેબેલો ડી સોસાએ તેનો વિરોધ કર્યો હતો. જો કે મોટી સંખ્યામાં લોકો પણ તેના સમર્થનમાં હતા, જેના કારણે હવે તેને કાનૂની માન્યતા મળી ગઈ છે. જો કે, આ કાનૂની માન્યતા માત્ર પોર્ટુગલમાં રહેતા રહેવાસીઓ માટે છે. કોઈ વિદેશી અહીં આવીને ઈચ્છામૃત્યુ(Euthanasia) માટે પૂછી શકે નહીં. એક રિપોર્ટ અનુસાર, દેશે લાંબી લડાઈ બાદ શુક્રવારે આ કાયદાને મંજૂરી આપી છે.