ભિલાડ નજીકના કરબેબલા ગામે આવેલા રેલવેના કોન્ટ્રાક્ટરના કામચલાઉ ગોડાઉનમાં આજે મંગળવારે આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. રેલવે ટ્રેક નજીકમાં હોવાથી બન્ને તરફની ટ્રેનોને 10થી 15 મિનિટ સુધી થોભાવી દીધી હતી. એકથી દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
પ્રાપ્ત માહિતિ અનુસાર ભિલાડના કરમબેલી ગામે હાઇવે પર આવેલા જલારામ મંદિર નજીક રેલવેના કોન્ટ્રાક્ટરના કામચલાઉ ગોડાઉનમાં આજે મંગળવારે સાંજે અચાનક આગ (vapi fire) સળગી ઉઠી હતી. ગોડાઉનમાં કેમિકલ પ્રવાહીને જથ્થાને કારણે આગ વધુ આક્રમક બનતા ભારે દોડધામ મચી ગઇ હતી. બાજુમાં આવેલી દુકાન આગના લપેટમાં આવી ગઇ હતી ઘટનાને પગલે લોકો દોડી ગયા હતા. ધટનાની જાણ થતા સરીગામ અને વાપીના ફાયર બ્રિગેડના બંબા દોડી ગયા હતા. બાદમાં લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી હતી. ગોડાઉન નજીક જ રેલવે ટ્રેક પસાર થતી હોવાથી સલામતીના ભાગરૂપે રેલવેએ વીજ પ્રવાહ બંધ કરી દીધો હતો.
ઘટનાને લઇ મુંબઇ-અમદાવાદ વચ્ચે આવાગમન કરતી ટ્રેનોને 10થી 15 સુધી થોભાવી દીધી હતી. લશ્કરોએ લગભગ એકથી દોઢ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જો કે આ પહેલા ગોડાઉન બળીને ખાખ થઇ ગયું હતું. આગ કયા કારણસર લાગી તે અંગે હાલ કોઇ વિગત બહાર આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ વલસાડ રેલ્વે સ્ટેશન નજીક હમ સફર એક્સપ્રેસ ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી ગઇ હતી.
પીએમ મોદીએ મંદિરની દાનપેટીમાં નાખેલા કવરમાંથી નીકળ્યા આટલા પૈસા, ગુર્જર સમુદાયને આપી ભેટ
વિશ્વના આ 10 દેશો સૌથી વધુ સોનું ઉત્પાદન કરે છે, જાણો ભારતમાં કેટલો વપરાશ થાય છે
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd
રાજકોટ/ Hit & Runની ઘટના, પિતા-પુત્રના મોત, માતા-પુત્રી ઈજાગ્રસ્ત
જૂનાગઢ/ ન્હાવાનું ગમતુ ન હોવાથી બાળક કારમાં સંતાયો, ગુંગળાઈ જતા ગુમાવ્યો જીવ
હવેથી જૂની નંબર પ્લેટ બદલાવવા ખિસ્સા કરવા પડશે ખાલી, ફીમાં ત્રણ ગણો વધારો
અમદાવાદના જાણીતા બિલ્ડરને ઓનલાઇન મિત્રતા 62 લાખમાં પડી