(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી તાલુકા નાં સાપર ગામે પાન અને કિરાણાની દુકાનમાંથી નશીલા શીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ, શ્રીરામ પ્લાઝા પાસે ડીલક્ષ પાનની દુકાનમાંથી અને પાવડીયાળી કેનાલ ક્રિષ્ના કિરાણાની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલા આયુર્વેદિક શીરપનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર સર્વેલન્સ સ્ટાફ સાથે પેટ્રોલીંગ હોય તે દરમ્યાન મોરબી તાલુકાના સાપર ગામની સીમ, પાવડીયાળી કેનાલ, શ્રીરામ પ્લાઝા, પાસે આરોપી દીનેશભાઈ લાલજીભાઇ મેવાડા રહે. ખાખરેચીવારા ની
ડીલક્ષ નામની દુકાનમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નશીલી આયુર્વેદિક શીરપની અલગ અલગ બનાવટની કુલ બોટલ નંગ-૧૩૬ કીંમત રૂપિયા વીસ હજાર ચારસો નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
જ્યારે બીજી રેઇડ દરમ્યાન મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આરોપી વિક્રમસિંહ સુરેશસિંહ જાડેજા રહે. ત્રિલોકધામ મંદિરની પાછળ કુબેર સોસાયટી મોરબી ની ક્રિષ્ના કિરાણા નામની દુકાનમાંથી નશીલા આયુર્વેદિક શીરપની કુલ બોટલ નંગ-૮૪૦ કિંમત રૂપિયા એક લાખ છવ્વીસ હજાર કિ.રૂ. નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
બંન્ને દુકાનમાંથી મળેલા નશીલા આયુર્વેદિક શિરપની કુલ બોટલ નંગ – ૯૭૬ કિંમત રૂપિયા એક લાખ છેતાલીસ હજાર ચારસો નો મુદ્દામાલ શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ -૧૨૦ મુજબ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.