@MOHSIN DAL, GODHARA
મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખે વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત તા.૩૦ મે થી ૩૦ જૂન સુધી યોજાનાર કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુસાશનના નવ વર્ષમાં અનેકોનેક ઉપલબ્ધિઓ અને અસંખ્ય જનકલ્યાણ લક્ષી યોજનાઓના સફળ અમલીકરણ સાથે સેવા અને ગરીબ કલ્યાણ માટે સરકાર સંકલ્પબધ્ધ છે તેમ જણાવતાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાએ વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત તા.૩૦ મેથી ૩૦ જૂન સુધી યોજાનાર કાર્યક્રમો વિશે માહિતી આપી હતી.
સાંસદ રતનસિંહ રાઠોડે પી.એમ.ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૮૦ કરોડ લોકોને મફત અનાજ, ૧૧.૮૮ કરોડ નળના પાણીના જોડાણો, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩ કરોડથી વધુ શહેરી અને ગ્રામીણ મકાનો, સ્વચ્છ ભારત અંતર્ગત ૧૧.૭૨ કરોડ શૌચાલયોનું નિર્માણ, પીએમ સ્વનિધિ દ્વારા ૩૪.૪૫ લાખ શેરી વિક્રેતાઓને નાણાંકીય સહાય મળી, નાના ઉદ્યોગ સાહસિકોને તેમના વ્યવસાયના વિસ્તરણ માટે મુદ્રા યોજના હેઠળ લગભગ ૩૯.૬૫ કરોડની લોન, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસને બંધારણીય દરજ્જો, કોવિડ લોકડાઉન દરમિયાન ૨૦ કરોડ મહિલાઓના ખાતામાં રોકડ ટ્રાન્સફર, સ્ટેન્ડ અપ ઈન્ડિયા હેઠળ SC અને ST લાભાર્થીઓને રૂ. ૭,૩૫૧ કરોડથી વધુની લોન, ૨૦૧૪ પહેલા કરતાં પાંચ ગણી વધુ એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલોની મંજૂરી, આસ્થાના કેન્દ્રોનો વિકાસ, રૈયોલી, માનગઢ, પ્રવાસન સ્થળના વિકાસ કાર્યો સહિત યોજનાઓ ઉપરાંત જનસુખાકારીની કામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. મહીસાગર જિલ્લામાં અનેકવિધ યોજનાઓના લાભોની સાથે સાથે મહીસાગર જિલ્લામાં મેડિકલ કોલેજની મંજૂરી, પૂર્ણતાની આરે પહોંચેલી જિલ્લાની હોસ્પિટલ, જિલ્લા મથક લુણાવાડા બાયપાસ રોડ, તળાવો ભરવાની યોજના વગેરે વિકાસ કાર્યો પ્રધાનમંત્રીના સફળ નેતૃત્વના પગલે શકય બન્યા છે તેમ જણાવ્યું હતું.
આ કોન્ફરન્સમાં બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, જિલ્લા ભાજપ મહામંત્રીઓ રાવજીભાઈ પટેલ, જયેન્દ્રભાઈ બારોટ, પ્રદીપસિંહ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ સહિત અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.
પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ પ્રજાજનોના પાયાના પ્રશ્નો અને મુશ્કેલીઓ માટે પત્રકારોના પ્રશ્નો સામે મૌન કેમ.?!!
પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવ વર્ષના સુશાસન સત્તાકાળની ઉપલબ્ધિઓ અને જનકલ્યાણ લક્ષી યોજનાઓના અમલીકરણ સંદર્ભમાં ગોધરા સ્થિત ભાજપ કાર્યાલયમાં પત્રકારો સાથે સંવાદ કરીને જાણકારી આપી હતી. જો કે પંચમહાલ જિલ્લાના પત્રકારો સાથે સૌપ્રથમ વખત યાદ કરીને પ્રેસ કોન્ફરન્સ કરનારા પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ પત્રકારો દ્વારા ગોધરામાં સ્ટ્રીટ લાઈટોના અંધારપટ, પ્રજાલક્ષી કામો પ્રત્યેની ઉપેક્ષાઓ, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર આચરવા માટે ગ્રામ પંચાયતોના સત્તાધીશો ઉપર કરવામાં આવેલા દબાણો, સંસદસભ્યની ગ્રાન્ટ માંથી લોક ઉપયોગી થયેલા વિકાસ કામોની વિગતો માંગતા પત્રકારોના સવાલોના જવાબો આપવામાં સાંસદ સભ્ય રતનસિંહ રાઠોડ પોતે અજાણ હોય એમ મૌન ધારણ કરી લીધું હતું. અને પત્રકારોના મુખ્યત્વે નલ સે જલ યોજનાના કામો તકલાદી હોવાના પ્રશ્નોના જવાબ માટે હાજર પંચમહાલના પ્રભારી સંજય પટેલ દ્વારા નલ સે જલ યોજનાની કામગીરીઓ સંદર્ભમાં કાર્યકરો મારફતે તપાસો કરાવીને સરકાર અને સંગઠનમાં રજુઆત કરીશું ની હૈયાધારણાઓ આપી હતી.!!