મોસ્કો હુમલામાં 133 લોકોના જીવ લેનારા આતંકીઓએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ્યો
મોસ્કોમાં શોપિંગ મોલ અને મ્યુઝિક વેન્યુ, ક્રોકસ સિટી હોલ પર 23 માર્ચે થયેલા હુમલાને અંજામ આપનાર ચાર શંકાસ્પદોમાંથી ત્રણ શકમંદોએ રવિવારે કોર્ટમાં હાજરી દરમિયાન હત્યાકાંડમાં તેમની સંડોવણી સ્વીકારી હતી. આ હુમલામાં 133 લોકો માર્યા ગયા હતા. કોર્ટે તજાકિસ્તાનના નાગરિક એવા ચારેય લોકોને 22 મે સુધી પ્રી-ટ્રાયલ અટકાયતમાં રાખવાનો આદેશ પણ આપ્યો છે.
હુમલામાં સંડોવણીના અન્ય સાત આરોપીઓ સાથે શનિવારે ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી, દાવો હતો કે આ હુમલો દક્ષિણ-મધ્ય એશિયા, મુખ્યત્વે અફઘાનિસ્તાનમાં કાર્યરત આતંકવાદી જૂથની પ્રાદેશિક શાખા ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન દ્વારા કરવામાં આવ્યો હતો.
શકમંદો – દલેર્દઝાન મિર્ઝોયેવ (32), સૈદાક્રમી રાચબાલિઝોડા (30), મુખામદસોબીર ફૈઝોવ (19) અને શમસીદીન ફરિદુની (25) – પર મોસ્કોની બાસમાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આતંકવાદી હુમલો કરવાનો” ઔપચારિક આરોપ મૂકવામાં આવ્યો હતો.
ત્રણ શંકાસ્પદો જેમણે દોષી કબૂલ્યું છે તેઓ મિર્ઝોયેવ, રાચાબલિઝોડા અને ફરીદુની છે. ફેઝોવને ઘણી બધી ઇજા સાથે હોસ્પિટલના કપડામાં વ્હીલચેરમાં કોર્ટરૂમમાં લાવવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન ડોક્ટરોએ તેની કેર લીધી હતી. અન્ય ત્રણના ચહેરા પર પણ ઉઝરડાના નિશાન અને સોજો હતો.
પૂછપરછ દરમિયાન એક આરોપીનો કાન કપાઈ ગયો હતો
એસોસિએટેડ પ્રેસે અહેવાલ આપ્યો છે કે, રચબલિઝોડા કાનમાં પાટાપિંડી સાથે આવ્યો હતો. રશિયામાં એવા અહેવાલો બહાર આવ્યા હતા કે જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે ચારમાંથી એકનો કાન કપાઈ ગયો હતો. જો કે કેવું રીતે કપાયો તે બહાર આવ્યું નથી.
જો કે, આ અહેવાલોની પુષ્ટિ થઈ નથી. રશિયન રાજ્ય સંચાલિત ચેનલ વન ટેલિવિઝન ફૂટેજમાં દર્શાવ્યા અનુસાર ચાર શકમંદોની અટકાયત કરવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ચેનલ વનએ જણાવ્યું હતું કે શંકાસ્પદોને રશિયા-બેલારુસ સરહદની નજીક આવેલા બ્રાયન્સ્ક ક્ષેત્રના ખાત્સુન ગામમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, એક શંકાસ્પદને પૂછવામાં આવ્યું હતું કે તે કોન્સર્ટ હોલમાં શું કરી રહ્યો છે, તો તેણે જવાબ આપ્યો , “મેં પૈસા માટે લોકોને ગોળી મારી હતી.” આરોપી ભાગ્યું તૂટ્યું અંગ્રેજી બોલતો હતો. તે વ્યક્તિ એ પણ કહે છે કે તેને “અડધા મિલિયન રુબેલ્સ ($5,425)” ઓફર કરવામાં આવ્યા હતા. અને તેને અડધી ચૂકવણી મળી હતી.